Waqf Amendment Bill: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પર ચર્ચા વચ્ચે બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઇટેડ (JDU)ને આ બિલ પર સમર્થન ન કરવાની અપીલ કરી. તેમણે જેડીયૂના મુસ્લિમ નેતાઓને કહ્યું કે, ‘જો આ બિલ સંસદમાં પસાર થઈ જાય છે તો તેમણે નીતિશનો સાથ છોડી દેવો જોઈએ. કારણ કે મુસ્લિમોના કારણે જ 2015માં નીતિશ બિહારની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા.’ તેમણે એ પણ દાવો કર્યો કે, જો મુસ્લિમ ન હોત તો નીતિશનું રાજકારણ ખતમ થઈ ગયું હોત.