બહુજન સમાજ પાર્ટી ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે માફી માગી છે. તેમણે આ માફી પોતાના કાકી એટલે કે માયાવતી પાસે માગી છે. આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં કહ્યું હતું કે, ‘માયાવતીને હું પોતાના એકમાત્ર રાજકીય ગુરૂ અને આદર્શ માનુ છું. પોતાના કોઈપણ રાજનીતિક નિર્ણયો લેવા માટે સંબંધીઓની સલાહ નહીં લઉં. ભૂલ માફ કરીને ફરી પાર્ટીમાં કામ કરવાનો મોકો આપી દો.’