gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે… ‘મિથિલાંચલ ડાયરી’ના વિમોચન પ્રસંગે મુ…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે… ‘મિથિલાંચલ ડાયરી’ના વિમોચન પ્રસંગે મુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



CM Releases Book ‘Mithilanchal Diary’ : આપણે વાંચન અને અભ્યાસ કરીને ચિંતન-મનન કરવાનો અભિગમ કેળવવો જોઈએ. પ્રવાસ સાહિત્યમાં આપણને વારસાની અનુભૂતિ મળે છે. એટલે જ ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતનું વિશેષ મહત્ત્વ હોય છે. આપણે પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લઈએ, ત્યારે પ્રવાસ તો કરીએ જ છીએ, પરંતુ સાથે હૃદયપૂર્વક તેનો અનુભવ માણવો જોઈએ. મિથિલાંચલ ડાયરીએ યાત્રા સાહિત્યના પ્રકારની કૃતિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડૉ. ખ્યાતિ પુરોહિત શાહના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા -મિથિલાંચલ ડાયરી’નું ગાંધીનગરમાં વિમોચન કર્યું ત્યારે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. 

સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે 

‘મિથિલાંચલ ડાયરી’ પ્રવાસ સાહિત્યના પ્રકારની કૃતિ છે. આ વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘સાહિત્યના શબ્દો અદભુત શક્તિ ધરાવે છે. સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે. જ્યારે સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે. સાહિત્યકાર જ સમાજમાં જાગૃતિનો સંચાર કરે છે.’

આપણે પ્રવાસ સાહિત્યને ગંભીરતાથી લીધું નથી

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકર પણ હાજર રહ્યા હતા. આ પુસ્તક વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદે સાહિત્યના વિકાસ અને પ્રોત્સાહન માટે યાત્રાને ખૂબ ગંભીરતાથી લીધું છે. ભારતમાં તો પ્રવાસ સાહિત્યને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ કારણ કે, જ્યારે પણ પ્રવાસ વર્ણનોની વાત આવે છે ત્યારે આપણને ફાહ્યાન, હ્યુન સાંગ અને મેગેસ્થિનિસ જેવા નામ કાને પડે છે. શું કોઈ ભારતીય પ્રવાસીએ કંઈ લખ્યું જ નથી? ના, એવું નથી પણ આપણે પ્રવાસ સાહિત્ય અને તેના લેખકોને ગંભીરતાથી લીધા જ નથી. ગુજરાતમાં કાકાસાહેબ કાલેલકર છે, જેમણે ખૂબ સારું પ્રવાસ સાહિત્ય આપ્યું છે.’   

ઈતિહાસકાર અને સાહિત્યકારમાં ભેદ છે   

આ વાત કરીને શ્રીધર પરાડકરે ઈતિહાસકાર અને સાહિત્યકાર વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઈતિહાસકાર અને સાહિત્યકાર જુદી રીતે સાહિત્ય લખે છે. એક સાહિત્યકાર કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને લેખન કરે, તો તેમાં વધુ ઊંડાણ હોય એવું બની શકે છે. તેના વાંચનથી સામાન્ય લોકોની સમજણ વધુ વિકસે છે. ‘મિથિલાંચલ ડાયરી’ પણ આવું જ સાહિત્ય છે. મિથિલા નગરીને ડૉ. ખ્યાતિએ ફક્ત આંખોથી નહીં પણ હૃદયથી જોઈ છે, અનુભવી છે. 

આ પ્રસંગે પુસ્તકનાં લેખિકા ડૉ. ખ્યાતિ પુરોહિત શાહે પુસ્તક લખવાની યાત્રાનો ઉલ્લેખ કરીને તમામનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ, સાહિત્યકારો, અધ્યાપકો તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
લંડનમાં MBAનો અભ્યાસ કરી ગુજરાતમાં કર્યો ગીર ગાયોનો તબેલો, વર્ષે કરે છે લાખોની કમાણી | Studying MBA …

લંડનમાં MBAનો અભ્યાસ કરી ગુજરાતમાં કર્યો ગીર ગાયોનો તબેલો, વર્ષે કરે છે લાખોની કમાણી | Studying MBA ...

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક…

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક...

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a …

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a …

4 months ago
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

2 months ago
ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

3 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a …

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a …

4 months ago
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

2 months ago
ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

3 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News