Vande Bharat Train : ભારતીય રેલવેનું અનમોલ નજરાણું એવી ‘વંદે ભારત’ ટ્રેન એની શરૂઆત થઈ ત્યારથી ચર્ચામાં રહી છે. આ ટ્રેનમાં આપવામાં આવેલી સુવિધાઓ અને એમાં સફર કરવાના મુસાફરોના સુખદ અનુભવને લીધે વંદે ભારત સફળ ટ્રેન ગણાઈ છે. દેશના વિવિધ રુટ પર હાલમાં કુલ 136 વંદે ભારત ટ્રેન કાર્યરત છે.
તાજેતરમાં આ ટ્રેનની સલામતી બાબતે ચિંતા ઉપજાવે એવા સમાચાર આવ્યા છે, જે કહે છે કે વંદે ભારત ટ્રેનોના પહેલા કોચની મજબૂતી ઓછી છે, જેને લીધે એનો અકસ્માત થાય તો ગંભીર પરિણામો આવી શકે એમ છે.