Pahalgam Terrorist Attack: 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને એક અઠવાડિયાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. તેના નેતા રાત્રે અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પાડોશી દેશ વારંવાર કહી રહ્યા છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. હવે PoKના પ્રેસિડેન્ટ ગણાતા સુલ્તાન ચૌધરીએ યુએન અને મિત્ર દેશો સાથે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.