Shashi Tharoor On Congress Laxman Rekha Warning : પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી 26 નિર્દોષ નાગરિકોના જીવ લીધા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આકરી કાર્યવાહી કરી આતંકવાદીઓ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, જોકે હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આ આકરા પગલા ભરતા કોંગ્રેસ નેતા શશિ થરૂર કેન્દ્ર સરકારના સતત વખાણ કરી રહ્યા છે. તો બીજીતરફ કોંગ્રેસ તેમની ટિપ્પણીઓને વ્યક્તિગત ગણાવી રહી છે. પાર્ટીના ટોચના નેતાનું માનવું છે કે, તેમણે લક્ષ્મણ રેખા પાર કરી દીધી છે, જેનો જવાબ આપતા થરૂરે કહ્યું કે, મેં ભારતીય હોવાના કારણે ઓપરેશન સિંદૂર મામલે સરકારનું સમર્થન કર્યું છે.
‘હું એક ભારતીય હોવાના કારણે માત્ર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યો છું’