India-Pakistan Airspace Ban : પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ્પેસમાં પાકિસ્તાનની તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યારે હવે ભારતે ફરી પાકિસ્તાનને ઝટકો આપી આ પ્રતિબંધ વધુ એક મહિનો લંબાવી દીધો છે. આ માટે ભારતે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ (NOTAM) પણ જારી કર્યું છે.