Tahawwur Rana Case : દિલ્હીની એક કોર્ટે આજે (24 એપ્રિલ) 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી દીધી હતી. પટિયાલા હાઉસના સ્પેશિયલ ન્યાયાધીશ ચંદર જીત સિંહે રાણાના વકીલ અને એનઆઈએની અરજી પર દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, રાણાને તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાની મંજૂરી નથી.
મારો પરિવાર મારા સ્વાસ્થ્યની ચિંતા કરશે : રાણાની દલીલ
રાણાએ તેમના વકીલ દ્વારા અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે, તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવી એ તેમનો મૂળભૂત અધિકાર છે અને તેઓ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરશે.