નવી દિલ્હી,૩૦ એપ્રિલ,૨૦૨૫,બુધવાર
કેન્દ્રની મોદી સરકારે છેવટે વસ્તીની સાથે જાતિ ગણના કરવાનો પણ નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી આ માંગ ચાલતી હતી અને આ મુદ્વાને વિપક્ષોએ સંસદ અને સંસદની બહાર પણ ઉઠાવ્યો હતો.જાતિગણનાની જાહેરાતથી ભારતના રાજકારણમાં ફરી હલચલ પેદા થઇ છે વિપક્ષો સરકારના નિર્ણયને પોતાની જીત ગણાવી રહયા છે. આથી જાતિ ગણના શું છે અને તેની કેમ જરુર પડી છે તે જાણવું જરુરી છે.