Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકાનો મોત થયા હતા. આતંકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકારે પાકિસ્તાન વિરોધી કેટલાક પગલા લીધા છે. તેવામાં પાકિસ્તાન વિરૂદ્ધ એક્શન લેવાની સંભાવના વચ્ચે ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 7 લોક કલ્યાણ માર્ગ પર તેમના આવાસ ખાતે મુલાકાત કરી છે. વડાપ્રધાન સાથેની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર હોવાનું સામે આવ્યું છે.